Saturday, March 15, 2025
Google search engine
HomeDharmikઆને કહેવાય ધર્મ પર આસ્થા, કંઠી ના ઉતારવા પર ફૂટબોલ રેફરીએ બહાર...

આને કહેવાય ધર્મ પર આસ્થા, કંઠી ના ઉતારવા પર ફૂટબોલ રેફરીએ બહાર કાઢ્યો , તો છોકરો હસતા મોઢે બહાર નીકળી ગયો

આને કહેવાય ભગવાન પર આસ્થા, કંઠી ના ઉતારવા પર ફૂટબોલ રેફરીએ બહાર કાઢ્યો તો છોકરો હસતા મોઢે બહાર નીકળી ગયો.“તુલસીની માળા નહિ ઉતારું, હું મારા ધર્મનું પાલન કરીશ”,

ઓસ્ટ્રેલીયામાં 12 વર્ષના હિંદુ છોકરાને મેચ રેફરીએ મેદાનમાંથી બહાર કાઢ્યો.ત્યારબાદ શુભ એક ખૂણામાં બેસીને પોતાની ટીમને રમતા જોવા લાગ્યો.ઓસ્ટ્રેલીયાના બ્રિસ્બેનમાં ભારતીય મૂળના 12 વર્ષીય હિંદુ ફૂટબોલ ખેલાડી શુભ પટેલને તુલસીની માળા (કંઠી માળા) પહેરવાને કારણે મેચમાં રમાડવાની ના પાડીને મેદાનમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો . ધ ઓસ્ટ્રેલીયા ટુડે અનુસાર, રેફરીએ શુભને કંઠી ઉતારવા કહ્યું તો શુભે કંઠી ઉતારવાની ના પાડી દીધી, જે કંઠી તેણે 5 વર્ષની ઉંમરથી પહેરી છે.

શુભે મીડિયા સાથે વાત કરતા કહ્યું, કે ફક્ત એક ફૂટબોલ મેચ રમવા માટે હું કંઠી ને ઉતારવાની જગ્યાએ પોતાના ધર્મનું પાલન કરવાનું વધારે પસંદ કરીશ.ટૂવોન્ગ ક્લબના યુવા સભ્યએ જણાવ્યું કે, કંઠી ઉતારવી હિંદુ ધર્મની વિરુદ્ધ છે. સનાતન ધર્મ પરંપરામાં પૂજામાં પ્રસાદ માટે ઉપયોગમાં લેવામાં આવતી તુલસીની માળાને ધારણ કરવી અને તેનાથી જપ કરવો અત્યંત મંગળકારી માનવામાં આવ્યું છે.

ભગવાન સ્વામિનારાયણના ભક્ત શુભે આગળ કહ્યું કે, જો હું તેને ઉતારી દેત તો તે સમયે ભગવાનને એવું લાગત કે મને તેમના પર વિશ્વાસ નથી.આ છોકરાએ કંઠી પર ભાર આપીને કહ્યું કે, માળા તેને આત્મવિશ્વાસ આપે છે સુરક્ષિત અનુભવ કરાવે છે. આ પહેલી વખત થયું છે કે જયારે મેચમાં શુભને પોતાની માળા ઉતારવા માટે કહેવામાં આવ્યું હતું . રીપોર્ટ અનુશાર શુભ પટેલે અગાવ 15 મેચ માળા પહેરીને જ રમી હતી અને એકવાર પણ તેમના કોચ કે ટીમના અન્ય સાથીઓ દ્વારા માળા ઉતારવા માટે કહેવામાં આવ્યું નહોતું .ત્યારબાદ શુભ એક ખૂણામાં બેસીને પોતાની ટીમને રમતા જોવા લાગ્યો

ફૂટબોલ ક્વીન્સલેન્ડે માફી માંગી : ફૂટબોલ ક્વીન્સલેન્ડ ઓસ્ટ્રેલીયામાં ફૂટબોલ અને ફૂટસલની ગવર્નિંગ બોડી છે. ફૂટબોલ ક્વીન્સલેન્ડે એક તપાસ શરુ કરી અને આ સમગ્ર  ઘટના પછી શુભ પટેલના પરિવાર અને ટૂવોન્ગ સોકર ક્લબની માફી માંગી છે. ફૂટબોલ ક્વીન્સલેન્ડે એક નિવેદનમાં જણાવ્યું કે, ક્વીન્સલેન્ડમાં ફૂટબોલ સૌથી સ્વાગત યોગ્ય અને સમાવેશી રમત છે, જે દરેક સંસ્કૃતિઓ અને સર્વ ધર્મોનું સન્માન કરે છે.

જાણો શું છે નિયમ? ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન (ફીફા) ના નિયમો અનુસાર, દરેક  ખેલાડીએ મેચ રમતી વખતે કોઈ પણ ઉપકરણ અથવા કોઈ પણ ખતરનાક વસ્તુ નહીં પહેરવી જોઈએ.કે, જેથી ખેલાડીને માથા તેમજ ગરદન પર ઈજા થવાનો ભય રહે છે.

અંતે આ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રતિક એવાં તુલસીની કંઠી કે જે વૈષ્ણવ સમુદાય માટે અભિન્ન અંગ છે તેની પૂરી તપાસ કરતાં ક્લબે તેને સન્માનસહ, રમતમાં પાછો સામેલ કર્યો…..ગર્વ છે ધર્મને અનુસરનારા આવાં વિરલા પર .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Technology A

error: Content is protected !!